Home

મહારાજા સયાજીરાવ ગાયકવાડ બીજા

મહારાજા સયાજીરાવ ગાયકવાડ બીજાવડોદરાના રાજવી ગાયકવાડ પરિવારના સભ્ય અને મહારાજા હતા. તેઓએ ઈ.સ. ૧૮૧૯ થી ઈ.સ. ૧૮૪૭ સુધી ગાદી સંભાળી હતી. તેઓ મહારાજા ગોવિંદરાવના છ પુત્રોમાંના એક હતા. તેઓ મહારાજા આનંદરાવના નાના ભાઈ હતા. તેઓ જ્યારે ગાદી પર આવ્યા ત્યારે અંગ્રેજ માલિકીની ઈસ્ટ ઈન્ડિયા કંપની ગાયકવાડ સામ્રાજ્ય પર પોતાની પકડ બનાવવા માગતી હતી. આ બાબત તેઓ સારી રીતે સમજી શક્યા હતા. તેઓએ આ પકડ ઓછી કરવા ઘણા પ્રયત્નો કર્યા હતા. પોતાના શાસનકાળના અંતમાં તેઓ આ બાબતમાં આંશિક રીતે સફળ પણ થયા હતા. તેઓ છ પૂત્રોના પિતા હતા. તેઓ ઈ.સ. ૧૮૪૭માં મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ બાદ તેમના પુત્ર મહારાજા ગણપતરાવે શાશન સંભાળ્યું જેમણે ઈ.સ. ૧૮૫૬ સુધી શાશન કર્યું.

No comments:

Post a Comment