Home

વિજ્ઞાનની દ્રષ્ટિએ માનવશરીર


¤¤¤ વિજ્ઞાનની દ્રષ્ટિએ માનવશરીર ¤¤¤
=> માનવશરીર કાર્બન, હાઈડ્રોજન, ઓક્સિજન, નાઈટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ અને લોખંડનું બનેલું છે.
=> માનવશરીર અગ્નિ, આકાશ, તેજ, વાયુ અને પાણી એ પંચ મહાભૂતોનું બનેલું છે.
=> માનવશરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો છે : (1)આંખ, (2) કાન, (3) નાક, (4) જીભ, (5) ચામડી.
=> માનવશરીર પાંચ મહાન તંત્રોનું બનેલું છે :(1) રુધિરાભિસરણતંત્ર, (2) શ્વસનતંત્ર, (3) ઉત્સર્ગતંત્ર,                   (4) જ્ઞાનતંત્ર, (5) પાચનતંત્ર
=> માનવશરીરમાં મૂળભૂત લાગણીઓ, ભય, ગુસ્સો અને પ્રેમ છે
=> માનવશરીરનો 2/3 ભાગ પાણીનો બનેલો છે.
=> માનવશરીરની મુખ્ય ક્રિયાઓ પાચન, શ્વસન, રુધિરાભિસરણ, ઉત્સર્ગ અને પ્રજનન છે.
=> માનવશરીરના મુખ્ય ભાગ માથું, ધડ, અને હાથ-પગ છે.
=> માનવશરીરનો મૂળભૂત એકમ 'કોષ' છે.
=> માનવશરીર જીવનના 1/3 ભાગનો સમય ઊંધમાં ગાળે છે.
=> માનવશરીરમાં બધાં મળીને આશરે 213 હાડકાં છે.
=> માનવશરીરમા સરેરાશ પાંચ કિલોલિટર લોહી વહેતું હોય છે.
=> માનવશરીરમાં આશરે 500થી વધુ સ્નાયુઓ છે.                                                                                                  => માનવશરીર દરરોજ 8 પાઉન્ડ કચરો વિવિધ સ્વરૂપે બહાર કાઢે છે. બહાર નીકળતા કચરામાં આશરે  દોઢ લિટર પેશાબ હોય છે.
=> માનવશરીરના નાડીના ધબકારા દર મિનિટે 72 થી 85 થાય છે.
=> માનવશરીરમાં આશરે 1 લાખ રક્તવાહિનીઓ છે.
=> માનવશરીર દર મિનિટે 16 થી 20 વખત શ્વાસોશ્વાસ કરે છે.
=> માનવશરીરનું સામાન્ય ઉષ્ણતામાન 98.4 ફેરનહીટ હોય છે.
=> માનવશરીરની બાહ્યત્વચા પર આશરે 25,000થી વધુ છિદ્રો હોય છે.
=> માનવશરીર દરરોજ 12.89 ઘનમીટર હવા લે છે.
=> માનવશરીરના એક ફેફસામાં અઢી કરોડ શ્વાસવાહિનીઓ અને તેને છેડે ચાર અબજ વાયુકોષો હોય  છે.
=> માનવશરીરને જીવંત રાખવા ખોરાક, પાણી અને હવાની સતત જરૂર પડે છે.
=> માનવશરીરની 'કુદરતી રોગપ્રતિકારક શક્તિ' ખુબ અસરકારક હોવાથી મોટા ભાગના રોગો જાતે જ શમી જાય છે.
=> માનવશરીરને સ્વભાવ, દોષગુણ અને શારીરિક પ્રકૃતિ વારસામાં મળે છે.
=> શરીરશાસ્ત્ર પ્રમાણે દરેક પુખ્ત વયની વ્યક્તિએ આશરે 3000 કેલરી શક્તિ પેદા કરી શકે તેટલો ખોરાક લેવો જોઈએ.
=> વીસથી પચાસ વર્ષની ઉંમર સુધીમાં તંદુરસ્તમનુષ્ય સો વખત રક્તદાન કરી શકે છે. રક્તદાનથીશરીરમાં રક્તની ઉણપ થતી નથી.
=> રક્તદાન કરવા માટે અને જરૂર પડે ત્યારે લોહી લેવા માટે પોતાના લોહીનો પ્રકાર જાણવો જોઈએ.
=> આત્મા શરીર છોડી છૂટો પડે પછી શેષ રહેતા માનવદેહમાં ચક્ષુ અને કેટલાક અવયવો અન્ય માનવીનાં ઉપયોગમાં આવે તેવાં હોય છે. માનવવિજ્ઞાનના અભ્યાસ માટે પણ મૃત માનવદેહ ઉપયોગી હોઈ ચક્ષુદાન અને દેહદાન કરવું એ કલ્યાણકારી કાર્ય છે.

No comments:

Post a Comment