Home

TET & HTAT SPECIAL

TET & HTAT SPECIAL
1. વર્ગખંડ અધ્યાપન દરમિયાન શિક્ષકનાં કેટલાક વર્તનો અનઅપેક્ષિત હોય છે, એવા વર્તનોમાં નીચે પૈકીનું કયુ વર્તન સૌથી ઓછું નુકશાન કારક છે. કારણ વિના અવારનવાર હસી પડવુ
2. શાળાના વિધાર્થીઓમાં જોવા મળતા પરાનુકુલન માટે મનોવૈગ્નાનિક ર્દ્ષ્ટિએ નીચે પૈકીનું ક્યું કારણ જવાબદાર હોય છે. શારીરિક અથવા માનસિક ખોડ સાવેંગિક અસ્થિરતા સામાજિક પરિસ્થિતિજન્ય પરિબળો
૩. પ્રાથમિક ક્ક્ષાએ બાળકોમાં નીચે પૈકી કયુ કૌશલ્ય માધ્યમિક કક્ષાએ સરખામણીએ વિશેષ કાર્યસાધક બનતુ નથી. પ્રત્યાયન કૌશલ્ય.                                                                                                                                                                                       
૪. અસરકારક પ્રત્યાયન ત્યારે જ થાય છે જ્યારે...સંદેશાનું તે ઝીલનારાઓ સાથે જોડાણ થાય.                                                 
૫. જો વર્ગખંડમાં શિક્ષકે શીખવેલ પાઠ વિધાર્થીઓને સમજાયો ન હોય તો :...
શિક્ષકે તે પાઠ વિધાર્થીઓને ફરી વાર વધુ ઉદાહરણ આપી ને સમજાવો જોઇએ
૬. ઉપનિષદોનાં વિચાર પ્રમાણે કેળવણીનું અંતિમ ધ્યેય :... મોક્ષ પ્રાપ્તિ છે.
૭. આપણા દેશમાં મોટા ભાગનાં રાજ્યોમાં પ્રથમ સ્નાતક પદવી માટેની શિક્ષણતરાહનાં કુલ વર્ષો :....   ૧૫ વર્ષો
૮. વિધાર્થીઓનું એક નાનુ જુથ એક અધ્યપકના બેઠક ખંડમાં પ્રવેશે છે, અને અશિસ્તભર્યુ વર્તન કરે છે. આ સમયે અધ્યાપકે તેની પોતાની લાગણીઓને નિયંત્રનમાં રાખવા શું કરવું જોઇએ.?                                                                                              શાંત રહીને વિધર્થીઓને સાંભળવાની તૈયારી બતાવી તેમના વર્તન અંગે સહાનુભુતિપૂર્વક ચર્ચા કરી જે તે પ્રશ્નનો ઉકેલ લાવવો જોઇએ.                                                                                                                                                                             
૯. સામાજિક પરિવર્તનનુ બળવત્તર સાધન છે તે :.. કેળવણી
૧૦. કેળવણી એ પ્રક્રુતિ માટે, પ્રક્રુતિ વડે અને પ્રક્રુતિમાંથી મેળવાની એક પ્રર્કિયા છેઆમ કહેનાર વિશ્વપ્રસિદ્ધ વિચારક જીન જેક રૂસોના કેળવણી વિષયક વિચારો જેમાંથી પ્રાપ્ત થાય છે તે પુસ્તક :.....             એમિલ.                                                      
૧૧. આપણા દેશમાં ઇ.સ.૧૮૮૧-૮૨ના ક્યાં શિક્ષણપંચે સૌ પ્રથમ માધ્યમિક શિક્ષકોની તાલીમી માટેનો એક વર્ષનો અભ્યાસક્રમ ચલાવતી તાલીમી સંસ્થાઓની સ્થાપના અંગે સૂચનાઓ કરી હતી. ?                                                                                 હંટર પંચ
૧૧. શિક્ષણ વ્યવસાયને પવિત્રા અને ઉમદા બનાવનારું એક ખૂબ જ આવશ્યક તત્ત્વ તે : .....        શાળા પરીવારની શિસ્ત
૧૨. પ્રચિન ગ્રીસના મહાન દાર્શનિક પ્લેટોનાં અભિપ્રાય મુજબ શિક્ષણનું ધ્યેય :....
ધ્યાન શક્તિનો વિકાસ કરવો ૧૩. નિચેના માંથી કયા એકનો યાંત્રિક શિક્ષણસાધ માં સમાવેશ થતો નથી ?
ગ્રાફિક સાધનો ૧૪. શિક્ષણનાં સંદર્ભમાં ૧૯૯૨-૯૭ની આઠમી પંચવર્ષીય યોજનામાં નીચે પૈકીનું કયુ મુખ્ય ધ્યેય હતું ?
પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રીકરણ અને ૧૫-૩૫ વયજૂથમાં નિરક્ષરતાની નાબુદી.

 
           બચાવ પ્રયુક્તિઓ : (માનસિક પ્રયુક્તિઓ, અનુકૂલન પ્રયુક્તિઓ )
વ્યાખ્યા : વ્યક્તિ હતાશા કે વૈફ્લ્યમાંથી બચવા માટે જે મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિઓનો આશય લે છે તે પ્રયુક્તિઓને બચાવ પ્રયુક્તિઓ કહે છે.
બચાવ પ્રયુક્તિઓને અંગ્રેજીમાં Defence Mechanism કહે છે.
  વિવિધ બચાવ પ્રયુક્તિઓ :
૧. તાદાત્મ્ય : કેટલાંક પોતાની જાતને તેન્ડુલકર, બચ્ચન, ગાંધીજી,સરદાર પટેલ માને છે.
૨. આક્રમકતા : આચાર્યના વર્તનથી દુભાયેલા વિદ્યાર્થીઓ આંદોલન કરે, તોડફોડ કરે.
૩. સ્થાનાંતર : સાસુથી દુભાયેલી વહુ બાળકોને મારે, આચાર્યથી દુભાયેલો શિક્ષક વિદ્યાર્થીને મારે.
૪. પ્રક્ષેપણ : (યૌક્તિકીકરણ) : શિક્ષક શાળામાં મોડા પહોંચવા માટે ટ્રાફિકનો દોષ કાઢે છે.
૫. ઊર્ધ્વીકરણ : બાળકોની લડાયકવૃત્તિને ઊર્ધ્વીકૃત કરવા માટે રમત-ગમત સ્પર્ધાનું આયોજન.
૬. ક્ષતિપૂર્તિ : ગણિતમાં નિષ્ફળતા મેળવનાર વિદ્યાર્થી રમતમાં-સંગીતમાં-ચિત્રકલામાં પ્રાવીણ્ય મેળવે.
૭. પરોક્ષ ક્ષતિપૂર્તિ : પિતા ડોક્ટર બની શક્યા ન હોવાથી પોતાના બાળકને ડોક્ટર બનાવે.
૮. દમન : અનૈતિક ખરાબ વિચારોને અજાગૃત મનમાં ધકેલી દે છે.
૯. દિવાસ્વપ્ન : ભૂખ્યો માણસ ખોરાક મેળવવાની કલ્પના કરે, ગમતા પાત્રને મળ્યાનો આનંદ માણે.
૧૦. પરાગતિ : મોટી વ્યક્તિ નાના બાળક જેવું વર્તન કરે, કાલું કાલું બોલે, ઘૂંટણીયા તાણે, માથું પછાડે.
૧૧. આત્મકેન્દ્રીપણું : (અહમ કેન્દ્રિતા) : વાત વાતમાં બડાઈ હાંકવી, વટ મારવો, પોતાના વખાણ કરવા, સભામાં મોટેથી બોલવું.
૧૨. નકારાત્મકતા : તરુણ વિદ્યાર્થીઓને શિક્ષકો તરફ રોષ હોય છે, ઘરમાં વડીલો સામે આવું વલણ જોવા મળે છે.
૧૩. અલિપ્તતા : આબરૂ જવાના ડરથી સ્પર્ધામાંથી દૂર રહેવું.
૧૪. શારીરિક દર્દ : પરીક્ષા વખતે વિદ્યાર્થીને માથું દુખે, ઝાડા થઈ જાય, પેટમાં દુખે.
૧૫. સ્થિરીકરણ : કોઈ એક અવસ્થામાં સ્થિર થઈ જાય, ઝડપથી આગળ વધી શકે નહીં.
૧૬. પ્રતિક્રિયા : જે વ્યક્તિ પ્રત્યે રોષ કે ઘૃણા હોય તે છુપાવીને પ્રેમભર્યો, મિત્રતાભર્યો વ્યવહાર કરે.
----શૈક્ષણીક અભિયોગ્યતા-----
૧. સારું શિક્ષણ આપણને ખૂબ જ ઉપયોગી છે....? - વ્યક્તિને સ્વાશ્રયી બનાવવા
૨. તમારું શિક્ષણ ક્યારે સફળ થયું ગણાય ? - જો તમને આત્મસંતોષ આપતુ હોય
૩. શિક્ષણ બાળકને કઇ રીતે ઉપયોગી છે ? - બાળકના વ્યક્તિત્વનો પુરેપુરો વિકાસ કરવા
૪. અસરકારક અને સફળ શિક્ષણ માટે સૌથી મહત્વની બાબત છે..? - વ્યવહારું ઉદાહરણથી વિષયોનો વિચાર વિસ્તાર કરવો
૫. બાળકોને આપેલું શિક્ષણ અસરકારક ક્યારે નીવડે...? - જો બાળકોની માનસિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવે
૬. અભ્યાસક્રમને કઇ રીતે વધારે ઉપયોગી બનાવી શકાય. ? - ભારતના સાંસ્કૃતિક જ્ઞાન દ્રારા
૭. પાઠ પુરેપુરો શીખવાડયા પછી શિક્ષકે શું કરવું જોઇએ ? - પાઠના મુખ્ય મુદ્દાઓ ટૂંકમા જણાવવા જોઇએ
૮. સફળ શિક્ષકનું સૌથી અગત્યનું લક્ષણ છે..? - અધ્યયનકાર્યમાં આનંદ આવવો
૯. સૌહાર્દપૂર્ણ સામાજિક સંબંધો જાળવવા શિક્ષકે શું કરવું જોઇએ ? - લોકતાત્રિક મૂલ્યો પર ભાર આપવો જોઇએ
૧૦. જવાબદારી અંગે તમારો અભિગમ ક્યો છે ? - મારી જવાબદારી અદા કરવામાં આનંદ આવે છે                 
૧૧. બાળકના વર્તનમાં સુધાર લાવવા માટેની સૌથી વધુ અસરકારક પદ્ધતિ કઇ છે ? - ઇનામ આપી પ્રોત્સાહીત કરવા
૧૨. બાળકોમાં પ્રામાણિકતાનો ગુણ વિકસાવી શકાય..? - પ્રામાણિક બાળકોની કદર કરીને
૧૩. શિક્ષણનું વર્તન સારું હોવું જોઇએ ? - વિધાર્થીઓ શિક્ષક ને અનુકરણીય માને છે
૧૪. શિક્ષક સમાજમાં સન્માન પ્રાપ્ત કરી શકે જો તે...? - પોતાની કામગીરી પ્રામાણિકતાથી કરે ૧૫. તમે શિક્ષક બનવાનું કેમ વિચારો છો ? - બીજાના બાળકોને આનંદ-સુખમાં જોઇને શિક્ષકને આનંદની લાગની થાય છે માટે
૧૬. શીખવવાની ઉત્તમ પદ્ધતિ કઇ છે ? - જે દ્રારા વિધાર્થી મુદ્દાને પુરેપુરો સમજી શકે
૧૭. જો તમને પૂછેલ પ્રશ્નનો જવાબ વિધાર્થી ન આપે તો તમે શું કરશો ? - પ્રશ્નનો જવાબ ન આપવાનુ પાછળનુ કારણ જાણવાનો પ્રયાસ કરશો
૧૮. સામુહિક સામેલગીરીનાં કામોમા વિધાર્થીઓ પાછીપાની કરતા હોય તો શુ કરવુ જોઇએ ? - બધા શિક્ષકોએ વિધાર્થીઓ સાથે સામુહિક કાર્યોમાં કામ કરવુ જોઇએ
૧૯. જો કોઇ વિધાર્થી વર્ગમા બધા વિષયોમાં નબળો છે તો શુ કરશો ? - કારણ જાણ્યા પછી તેની નબળાઇ દૂર કરાવનો પ્રયાસ કરશો
૨૦. તમારા વર્ગમાં કોઇ વિધાર્થીની સમજ શક્તિ કે ગ્રહણ શક્તિ ખૂબ ધીમી છે તો શુ કરશો ? - કારણ જાણ્યા પછી રેમેડિયાલ’ – ગુણાત્મક સુધારાના પગલા ભરશો
૨૧. શ્રેષ્ઠ શૈક્ષણિક પદ્ધતિ કોને કહેશો ? - જે સમાજના દરેક વર્ગના લોકોને એકી સાથે શીખવાની સમાન તક પૂરી પાડે છે
૨૨. બાળકોને સોંપેલ લેખન કાર્ય ક્યારે તપાસવુ જોઇએ ? - લેખન કાર્ય પુરું થયા પછી તરત
૨૩. વર્ગમાં નવો પાઠ ભણાવવાનું શરુ કરતા પહેલા શિક્ષકેશુ કરવુ જોઇએ ? - નવા પાઠ સંબંધિત વિધાર્થીઓનું પૂર્વજ્ઞાન વિષે પ્રશ્નો પૂછવા જોઇએ
૨૪. વિધાર્થી સાચા જવાબ આપે તે માટે કઇ બાબત શિક્ષકને સહાય રૂપ બનશે.. ? - ઓડિયો-વિઝ્યુલ સહાય
૨૫. કઇ કહેવત શિક્ષણ કે જ્ઞાન મેળવવાની રીત સૂચવે છે ? - પૂછતા નર પંડિત

No comments:

Post a Comment