TET & HTAT SPECIAL
|
1. વર્ગખંડ અધ્યાપન દરમિયાન શિક્ષકનાં કેટલાક વર્તનો અનઅપેક્ષિત
હોય છે, એવા
વર્તનોમાં નીચે પૈકીનું કયુ વર્તન સૌથી ઓછું નુકશાન કારક છે. કારણ
વિના અવારનવાર હસી પડવુ
|
2. શાળાના
વિધાર્થીઓમાં જોવા મળતા પરાનુકુલન માટે મનોવૈગ્નાનિક ર્દ્ષ્ટિએ નીચે પૈકીનું
ક્યું કારણ જવાબદાર હોય છે.
શારીરિક અથવા માનસિક ખોડ સાવેંગિક
અસ્થિરતા સામાજિક
પરિસ્થિતિજન્ય પરિબળો
|
૩. પ્રાથમિક ક્ક્ષાએ બાળકોમાં નીચે પૈકી કયુ કૌશલ્ય માધ્યમિક
કક્ષાએ સરખામણીએ વિશેષ કાર્યસાધક બનતુ નથી. પ્રત્યાયન
કૌશલ્ય.
|
૪. અસરકારક પ્રત્યાયન ત્યારે જ થાય છે જ્યારે...સંદેશાનું તે
ઝીલનારાઓ સાથે જોડાણ થાય.
|
૫. જો વર્ગખંડમાં
શિક્ષકે શીખવેલ પાઠ વિધાર્થીઓને સમજાયો ન હોય તો :...
શિક્ષકે તે પાઠ
વિધાર્થીઓને ફરી વાર વધુ ઉદાહરણ આપી ને સમજાવો જોઇએ
|
૬. ઉપનિષદોનાં
વિચાર પ્રમાણે કેળવણીનું અંતિમ ધ્યેય :... મોક્ષ
પ્રાપ્તિ છે.
|
૭. આપણા દેશમાં મોટા ભાગનાં રાજ્યોમાં પ્રથમ સ્નાતક પદવી
માટેની શિક્ષણતરાહનાં કુલ વર્ષો :.... ૧૫ વર્ષો
|
૮. વિધાર્થીઓનું એક નાનુ જુથ એક અધ્યપકના બેઠક ખંડમાં
પ્રવેશે છે, અને અશિસ્તભર્યુ
વર્તન કરે છે. આ સમયે અધ્યાપકે તેની પોતાની લાગણીઓને નિયંત્રનમાં
રાખવા શું કરવું જોઇએ.? શાંત રહીને વિધર્થીઓને સાંભળવાની તૈયારી
બતાવી તેમના વર્તન અંગે સહાનુભુતિપૂર્વક ચર્ચા કરી જે તે પ્રશ્નનો ઉકેલ
લાવવો જોઇએ.
|
૯. સામાજિક પરિવર્તનનુ બળવત્તર સાધન છે તે :.. કેળવણી
|
૧૦. ‘કેળવણી એ પ્રક્રુતિ માટે, પ્રક્રુતિ વડે અને
પ્રક્રુતિમાંથી મેળવાની
એક પ્રર્કિયા છે’ આમ કહેનાર
વિશ્વપ્રસિદ્ધ વિચારક જીન જેક રૂસોના કેળવણી વિષયક વિચારો
જેમાંથી પ્રાપ્ત થાય છે તે પુસ્તક :.....
એમિલ.
|
૧૧. આપણા
દેશમાં ઇ.સ.૧૮૮૧-૮૨ના ક્યાં
શિક્ષણપંચે સૌ પ્રથમ માધ્યમિક શિક્ષકોની તાલીમી માટેનો એક વર્ષનો
અભ્યાસક્રમ ચલાવતી તાલીમી સંસ્થાઓની સ્થાપના અંગે સૂચનાઓ કરી
હતી. ? હંટર પંચ
|
૧૧. શિક્ષણ વ્યવસાયને પવિત્રા અને ઉમદા બનાવનારું એક ખૂબ જ
આવશ્યક તત્ત્વ તે : ..... શાળા પરીવારની શિસ્ત
|
૧૨. પ્રચિન ગ્રીસના
મહાન દાર્શનિક પ્લેટોનાં અભિપ્રાય મુજબ શિક્ષણનું ધ્યેય :....
ધ્યાન શક્તિનો
વિકાસ કરવો ૧૩. નિચેના માંથી કયા એકનો યાંત્રિક શિક્ષણસાધ માં સમાવેશ થતો નથી ?
ગ્રાફિક સાધનો ૧૪.
શિક્ષણનાં સંદર્ભમાં ૧૯૯૨-૯૭ની આઠમી પંચવર્ષીય યોજનામાં નીચે પૈકીનું કયુ મુખ્ય
ધ્યેય હતું ?
પ્રાથમિક શિક્ષણનું
સાર્વત્રીકરણ અને ૧૫-૩૫ વયજૂથમાં નિરક્ષરતાની નાબુદી.
|
બચાવ
પ્રયુક્તિઓ : (માનસિક પ્રયુક્તિઓ, અનુકૂલન પ્રયુક્તિઓ )
|
૧. તાદાત્મ્ય :
કેટલાંક પોતાની જાતને તેન્ડુલકર,
બચ્ચન, ગાંધીજી,સરદાર પટેલ માને
છે.
|
૨. આક્રમકતા : આચાર્યના વર્તનથી દુભાયેલા વિદ્યાર્થીઓ આંદોલન
કરે, તોડફોડ
કરે.
|
૩. સ્થાનાંતર : સાસુથી દુભાયેલી વહુ બાળકોને મારે, આચાર્યથી દુભાયેલો
શિક્ષક વિદ્યાર્થીને મારે.
|
૪. પ્રક્ષેપણ : (યૌક્તિકીકરણ) : શિક્ષક શાળામાં મોડા પહોંચવા
માટે ટ્રાફિકનો દોષ કાઢે છે.
|
૫. ઊર્ધ્વીકરણ : બાળકોની લડાયકવૃત્તિને ઊર્ધ્વીકૃત કરવા માટે
રમત-ગમત સ્પર્ધાનું આયોજન.
|
૬. ક્ષતિપૂર્તિ : ગણિતમાં નિષ્ફળતા મેળવનાર વિદ્યાર્થી
રમતમાં-સંગીતમાં-ચિત્રકલામાં પ્રાવીણ્ય મેળવે.
|
૭. પરોક્ષ ક્ષતિપૂર્તિ : પિતા ડોક્ટર બની શક્યા ન હોવાથી
પોતાના બાળકને ડોક્ટર બનાવે.
|
૮. દમન : અનૈતિક –
ખરાબ વિચારોને અજાગૃત મનમાં ધકેલી દે
છે.
|
૯. દિવાસ્વપ્ન : ભૂખ્યો માણસ ખોરાક મેળવવાની કલ્પના કરે, ગમતા પાત્રને
મળ્યાનો આનંદ માણે.
|
૧૦. પરાગતિ : મોટી વ્યક્તિ નાના બાળક જેવું વર્તન કરે, કાલું કાલું બોલે, ઘૂંટણીયા તાણે, માથું પછાડે.
|
૧૧. આત્મકેન્દ્રીપણું : (અહમ કેન્દ્રિતા) : વાત વાતમાં બડાઈ
હાંકવી, વટ
મારવો, પોતાના
વખાણ કરવા, સભામાં
મોટેથી બોલવું.
|
૧૨. નકારાત્મકતા : તરુણ વિદ્યાર્થીઓને શિક્ષકો તરફ રોષ હોય
છે, ઘરમાં
વડીલો સામે આવું વલણ જોવા મળે છે.
|
૧૩. અલિપ્તતા : આબરૂ જવાના ડરથી સ્પર્ધામાંથી દૂર રહેવું.
|
૧૪. શારીરિક દર્દ : પરીક્ષા વખતે વિદ્યાર્થીને માથું દુખે, ઝાડા થઈ જાય, પેટમાં દુખે.
|
૧૫. સ્થિરીકરણ : કોઈ એક અવસ્થામાં સ્થિર થઈ જાય, ઝડપથી આગળ વધી શકે
નહીં.
|
૧૬. પ્રતિક્રિયા : જે વ્યક્તિ પ્રત્યે રોષ કે ઘૃણા હોય તે
છુપાવીને પ્રેમભર્યો, મિત્રતાભર્યો વ્યવહાર કરે.
|
----શૈક્ષણીક અભિયોગ્યતા----- |
૧. સારું શિક્ષણ આપણને ખૂબ જ ઉપયોગી છે....? - વ્યક્તિને સ્વાશ્રયી બનાવવા |
૨. તમારું શિક્ષણ ક્યારે સફળ થયું ગણાય ? - જો તમને આત્મસંતોષ આપતુ હોય |
૩. શિક્ષણ બાળકને કઇ રીતે ઉપયોગી છે ? - બાળકના વ્યક્તિત્વનો પુરેપુરો વિકાસ કરવા |
૪. અસરકારક અને સફળ શિક્ષણ માટે સૌથી મહત્વની બાબત છે..? - વ્યવહારું ઉદાહરણથી વિષયોનો વિચાર વિસ્તાર કરવો |
૫. બાળકોને આપેલું શિક્ષણ અસરકારક ક્યારે નીવડે...? - જો બાળકોની માનસિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવે |
૬. અભ્યાસક્રમને કઇ રીતે વધારે ઉપયોગી બનાવી શકાય. ? - ભારતના સાંસ્કૃતિક જ્ઞાન દ્રારા |
૭. પાઠ પુરેપુરો શીખવાડયા પછી શિક્ષકે શું કરવું જોઇએ ? - પાઠના મુખ્ય મુદ્દાઓ ટૂંકમા જણાવવા જોઇએ |
૮. સફળ શિક્ષકનું સૌથી અગત્યનું લક્ષણ છે..? - અધ્યયનકાર્યમાં આનંદ આવવો |
૯. સૌહાર્દપૂર્ણ સામાજિક સંબંધો જાળવવા શિક્ષકે શું કરવું જોઇએ ? - લોકતાત્રિક મૂલ્યો પર ભાર આપવો જોઇએ |
૧૦. જવાબદારી અંગે તમારો અભિગમ ક્યો છે ? - મારી જવાબદારી અદા કરવામાં આનંદ આવે છે |
૧૧. બાળકના વર્તનમાં સુધાર લાવવા માટેની સૌથી વધુ અસરકારક પદ્ધતિ કઇ છે ? - ઇનામ આપી પ્રોત્સાહીત કરવા |
૧૨. બાળકોમાં પ્રામાણિકતાનો ગુણ વિકસાવી શકાય..? - પ્રામાણિક બાળકોની કદર કરીને |
૧૩. શિક્ષણનું વર્તન સારું હોવું જોઇએ ? - વિધાર્થીઓ શિક્ષક ને અનુકરણીય માને છે |
૧૪. શિક્ષક સમાજમાં સન્માન પ્રાપ્ત કરી શકે જો તે...? - પોતાની કામગીરી પ્રામાણિકતાથી કરે ૧૫. તમે શિક્ષક બનવાનું કેમ વિચારો છો ? - બીજાના બાળકોને આનંદ-સુખમાં જોઇને શિક્ષકને આનંદની લાગની થાય છે માટે |
૧૬. શીખવવાની ઉત્તમ પદ્ધતિ કઇ છે ? - જે દ્રારા વિધાર્થી મુદ્દાને પુરેપુરો સમજી શકે |
૧૭. જો તમને પૂછેલ પ્રશ્નનો જવાબ વિધાર્થી ન આપે તો તમે શું કરશો ? - પ્રશ્નનો જવાબ ન આપવાનુ પાછળનુ કારણ જાણવાનો પ્રયાસ કરશો |
૧૮. સામુહિક સામેલગીરીનાં કામોમા વિધાર્થીઓ પાછીપાની કરતા હોય તો શુ કરવુ જોઇએ ? - બધા શિક્ષકોએ વિધાર્થીઓ સાથે સામુહિક કાર્યોમાં કામ કરવુ જોઇએ |
૧૯. જો કોઇ વિધાર્થી વર્ગમા બધા વિષયોમાં નબળો છે તો શુ કરશો ? - કારણ જાણ્યા પછી તેની નબળાઇ દૂર કરાવનો પ્રયાસ કરશો |
૨૦. તમારા વર્ગમાં કોઇ વિધાર્થીની સમજ શક્તિ કે ગ્રહણ શક્તિ ખૂબ ધીમી છે તો શુ કરશો ? - કારણ જાણ્યા પછી ‘રેમેડિયાલ’ – ગુણાત્મક સુધારાના પગલા ભરશો |
૨૧. શ્રેષ્ઠ શૈક્ષણિક પદ્ધતિ કોને કહેશો ? - જે સમાજના દરેક વર્ગના લોકોને એકી સાથે શીખવાની સમાન તક પૂરી પાડે છે |
૨૨. બાળકોને સોંપેલ લેખન કાર્ય ક્યારે તપાસવુ જોઇએ ? - લેખન કાર્ય પુરું થયા પછી તરત |
૨૩. વર્ગમાં નવો પાઠ ભણાવવાનું શરુ કરતા પહેલા શિક્ષકેશુ કરવુ જોઇએ ? - નવા પાઠ સંબંધિત વિધાર્થીઓનું પૂર્વજ્ઞાન વિષે પ્રશ્નો પૂછવા જોઇએ |
૨૪. વિધાર્થી સાચા જવાબ આપે તે માટે કઇ બાબત શિક્ષકને સહાય રૂપ બનશે.. ? - ઓડિયો-વિઝ્યુલ સહાય |
૨૫. કઇ કહેવત શિક્ષણ કે જ્ઞાન મેળવવાની રીત સૂચવે છે ? - પૂછતા નર પંડિત |
No comments:
Post a Comment